20 March 2020
આજે છે વિશ્વ કવિતા દિવસ યૂનેસ્કોએ કવિઓ અને કવિતાના સર્જનાત્મક મહિમાને સમ્માન આપવા માટે દર વર્ષે 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે મનાવવાની જાહેરાત 1999માં કરી હતી . વિશ્વ કવિતા દિવસ નિમિત્તે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય એકેડેમી દ્વારા સબદ - વિશ્વ કવિતા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે . વિશ્વ કવિતા દિવસની ઉજવણીનો હેતુ નવા લેખકોને વિશ્વમાં કવિતાઓ લખવા , વાંચવા , પ્રકાશિત કરવા અને શીખવવા પ્રોત્સાહિત કરવાનો છે .સંયુક્ત રાષ્ટ્ર સંઘે ..૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે જાહેર કર્યો છે. સાહિત્યનો સૌથી વધુ લોકપ્રિયને જૂનો પ્રકાર પણ આજ.કવિતા સંગીતે મઢાય ને મધુરા સ્વરે ટહુકે ..પછીતો હૈયે એવી જડાય કે યુગવર્તી બની જાય. આપણું પ્રાચીન સાહિત્ય ઋષીમુનિઓએ કવિતા રૂપે જ ભેટ ધર્યું છે..વેદ, મહાભારત, રામાયણ, કે કવિ કાલિદાસ વગેરેની અમર રચનાઓ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. આપણા વેદવ્યાસજીએતો એક લાખ શ્લોકો થકી મહાભારતનું મહાકાવ્ય લખ્યું હતું…બોલાય જાયને અધધ.
SANJAY B,PATEL
Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra
