1 July 2020

દેવશયની એકાદશી વિશેષ માહિતી / 1 જુલાઈ 2020


દેવશયની એકાદશી

 અષાઢ સુદ એકાદશી આ વર્ષે તા.1 જુલાઈના રોજ છે. જેને દેવપોઢી કે દેવશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણ ક્ષીરસાગરમાં શયન કરે છે. જ્યારે આ જ દિવસથી હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસથી લગ્ન, જનોઇ આદિ માંગલિક કાર્યો થઇ શકશે નહીં, પરંતુ ધાર્મિક-આધ્યાત્મિક કાર્યો મોટી સંખ્યામાં આ ચાતુર્માસ દરમિયાન થશે. જ્યારે સંન્યાસીઓનો ચાતુર્માસ અષાઢી પૂર્ણિમાથી પ્રારંભ થશે.  દેવશયની એકાદશીના દિવસથી જ ગૌરી વ્રતનો પણ પ્રારંભ થશે. કુમિરાકાઓ અને બાળાઓ લગ્ન પહેલાં અષાઢ સુદ એકાદશીથી લઇને અષાઢ સુદ પૂર્ણિમા સુધી મોળું ભોજન લઇ એકટાણું જમી વ્રત કરે છે. માટે જ તેને મોળાકત અથવા ગૌરીવ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રતમાં કન્યાઓ માતા પાર્વતી પાસે સારા વરની યાચના કરતી હોય છે. દક્ષને ત્યાં યજ્ઞકુંડમાં સતી થઈ હિમાલયને ત્યાં તે ફરી જન્મ્યાં હતાં. ત્યાં શિવજીને પુન: મેળવવા કામદેવે તેમને મદદ કરી હતી. બ્રહ્માના વરદાનથી તેમનું કાંચન જેવું શરીર થયું તેથી તે ગૌરી તરીકે પ્રસિદ્ધ છે. આ દેવી પરોપકારી ગણાય છે. જ્યારે તા.3મી જુલાઈથી અષાઢ સુદ તેરશથી અષાઢ વદ બીજ સુધી વ્રત કરવામાં આવે છે. આ વ્રત લગ્નોત્સુક યુવતીઓ કરે છે અને વ્રતનું ઉજવણું લગ્ન બાદ કરવામાં આવે છે. આ વ્રત સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આ વ્રત અંતર્ગત શિવજી અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં એક સમયે મોળું ભોજન કરવામાં આવે છે. આ વ્રતનાં જાગરણમાં આખી રાત જાગરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રતનાં પાંચ વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે અથવા આ વ્રત લગ્ન બાદ ઉજવવામાં આવે છે.


અષાઢ મહિનનઈ શુક્લ પક્ષની અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ મહિને 1જુલાઈ 2020ન અરોજ દેવશયની અગિયારસ છે. આ એકાદશીને મનોકમાના પૂર્તિના રૂપમાં ઉજવાય છે. દેવશયની એકાદશીમાં બધા શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે.  હિન્દુ માનયતા મુજબ આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરવા જતા રહે છે. એવુ કહેવાય છે કે ભક્તો દ્વારા આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તેમની દરેક મનોકામના પૂરી થાય છે.  આવો જાણીએ આ વિશેષ ઉપાય... 
- દેવશયની એકાદશીના દિવસે નિર્જલા વ્રત રાખવુ જોઈએ. જો તમે આવુ ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરી આ વ્રતને કરો. 
- ધન ધાન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેસર મેળવેલ જળથી અભિષેક કરો. 
- દેવશયની અગિયારસની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરો. 
- ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ કે પીલા રંગની મીઠાઈનો ભોગ લગાવો. 
- દેવશયની એકાદશીના દિવએ સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંડકાવ કરો. 
- આ દિવસે ૐ નમો નારાયણાય કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: નો 108 વાર જાપ કરો. 
ઍકાદશી વ્રતથી મળતુ પુણ્ય                         

  •  (૧)શ્રી મહાપ્રભુજી કહે છે કે  કરોડ યજ્ઞ બરોબર ૧ ઍકાદશી કરવાથી કરોડ યજ્ઞનુ ફળ મળે છે.                      
  • (૨) કરોડ ગાયોનુ દાન બરોબર ૧ ઍકાદશી કરવાથી કરોડ ગાયોના દાન જેટલુ ફળ મળે છે.        
  • (૩)  ૧ ભાર સોનુ રોજ દાન કરવા બરાબર ૧  ઍકાદશી કરવાથી તેના જેટલુ ફળ મળે છે.           
  •  (૪)  કોટી કલ્પ સુઘી ચાદૃાયણ વ઼ત જેટલુ ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે.                       
  • (૫) ભારતના બધાં તીથૅ કર્યા બરાબર  ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે.     
  • (૬) ૧ લાખ ઉપવાસ કરો કે ૧ ઍકાદશી કરવાથી  તેના જેટલુ ફળ મળે છે.       
  • (૭) ઍક્યાસી હજાર ઋષીને જમાડવા જેટલુ ફળ ૧ ઍકાદશી કરવાથી મળે છે 
  • (૮)   કરોડ વાર ગંગામા સ્નાન કરવા જેટલુ ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે.                                                      

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra